Kavi narmad biography examples
Kavi narmad biography examples
Biography examples for students.
વીર નર્મદ : વિદ્રોહી સુધારાવાદીથી 'ધર્મવિચાર' સુધી 'હાર્યો ભલે હોય, પણ તૂટ્યો નહીં'
ઇમેજ સ્રોત, Ranmal Sindhav
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો...
મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો...'
કવિ નર્મદે ઉપર્યુક્ત વાત તેમની આત્મકથા 'મારી હકીકત'માં કરી છે.
નર્મદે લખેલી આત્મકથા 'મારી હકીકત' એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે.
અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પુસ્તકમાં રમેશ ત્રિવેદી લખે છે, ભણીને આગળ શું કરવું એ અંગે કવિ નર્મદના મનમાં ગડમથલ ચાલતી હતી કે, 'ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે, ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ, ને શેર જુવાર તો મળી રહેશે.'
કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે.
બાળપણ અને કલમના ખોળે
ઇમેજ સ્ર